તમે શું કરશો?

છૂટાં પડશું તો વિચારીશ, તમે શું કરશો.
હું તો યાદોને નકારીશ, તમે શું કરશો?

વાંક બંનેનો છે, એ વાત બરાબર છે તો,
હું મારી ભૂલ સુધારીશ, તમે શું કરશો?

મનમાં ઈચ્છા થશે મળવાની છતાં નહિ આવું,
હું તો ઈચ્છાઓને મારીશ, તમે શું કરશો?

તમને એકલતા બહુ સાલસે, ચટકા ભરશે,
હું તો ગઝલોને મઠારીશ, તમે શું કરશો?

ચેનથી ઊંઘવા દેશે ન પરસ્પર યાદો,
રાત આંખોમાં ગુજારીશ, તમે શું કરશો?

હું તો ખુદને ન મળું એટલે ભીંતો પરથી,
આયના નીચે ઉતારીશ, તમે શું કરશો?

આંખ ખુલશે તો ‘ખલીલ’ આંખને ચોળી ચોળી,
રાતના સ્વપ્નાં નીતારીશ, તમે શું કરશો?

– ખલીલ ધનતેજવી

रहने दो…!!!

रहने दो

सारे वादे भूला सकता हूँ; लेकिन रहने दो,
मैं तुम्हे छोड़ के जा सकता हूँ; लेकिन रहने दो.

तुमने जो बात की दिल दुःखानेवाली,
मैं उस पर मुस्कुरा भी सकता हूँ; लेकिन रहने दो.

तुम जो हर मोड़ पर कह देती हो; ‘ख़ुदा हाफ़िज़’,
फैसला मैं भी सुना सकता हूँ; लेकिन रहने दो.

शर्म आएगी तुम्हे अपने आप पर वरना,
तुम्हारे वादे तुम्हे याद दिला सकता हूँ; लेकिन रहने दो.

– क्रिष्ना

આંગણ

screen-shot-2015-05-18-at-11-43-07-am

સાંજ થતાં થતાં
આંગણના પ્રકાશ – રંગ મૂરઝાઈ જાય છે
પૂનમના ચંદ્રની વિરાટ સ્વચ્છતા, સ્થિર, પરિચિત
આસમાન પર જાદુ નથી પાથરતી.
આકાશમાં વાદળ ઘેરાઈ આવ્યા છે
નઠારી ચિંતાઓ કહે છે કે કોઈ દેવદૂતનું મરણ થયું છે.

આંગણ આકાશનું, સ્વર્ગનું સંદેશાવાહક છે –
આંગણ એક બારી છે જ્યાંથી
ઈશ્વર આત્માઓની શોધખોળ કરે છે
આંગણ એક ઢાળવાળો રસ્તો છે
જ્યાંથી આકાશ, ઘરની અંદર ઢોળાઈ આવે છે
ચુપચાપ –
શાશ્વતી સિતારાના ચાર રસ્તા પર પ્રતીક્ષા કરે છે
ચિરપરિચિત દરવાજો, નીચે હૂંફાળી છત અને
શીતલ ફૂવારાઓની વચ્ચે
એક સંગીનીની પ્રગાઢ સ્નેહની છાયામાં
જીંદગી કેટલી વ્હાલી લાગે છે!

– જોર્જે લોઈ બોરજે
(દેશ: આર્જેન્ટિના)
(અનુવાદ: સુજાતા ગાંધી)