.
જ્યારે ના કોઈ આસપાસ હશે,
ત્યારે તેઓ જ મારી પાસ હશે.
દૂર કરતો ગયો બધાં મ્હોરાં,
શું મને મારી પણ તલાશ હશે ?
રાતના બે શશી તો હોય નહીં,
જ્યારે એ આવશે, અમાસ હશે !
સૂર્યકિરણો ગયાં છે ત્યાં સુધી
ભીતરે એટલે ઉજાસ હશે !
કેમ અટકી ગઈ સફર મારી ?
શું અહીં આપનો નિવાસ હશે ?
પાનખરમાંય જે ખરી ન પડે,
એ જ સંબંધની સુવાસ હશે.
જાય છે મંઝિલો વટાવીને,
ક્યાં હવે માર્ગનો પ્રવાસ હશે ?
.
– હર્ષદરાય દવાવાલા – ‘બેચેન’
જ્યારે ના કોઈ આસપાસ હશે,
ત્યારે તેઓ જ મારી પાસ હશે….
સાચુ જ છે ને…
જ્યારે ના કોઈ આસપાસ હશે,
ત્યારે તેઓ જ મારી પાસ હશે.
આ હકીકત છે, પરંતુ આ એહસાસ મોટાભાગે થતો નથી અથવા બહુ મોડેથી થાય છે ત્યારે જીવનમાં ઘણું ફેશ કરવું પડેલ હોય છે.
તુમ મેરે પાસ હોતે હો ગોયા
જબ કોઇ દૂસરા નહીં હોતા ! – ની અસરવાળી પણ સુંદર ગઝલ છે આ.
super cool