.
.
અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહી
રાધાનું નામ યાદ આવ્યું;
રુકમણીની સોળ તજી ચાલ્યા માધવ
બંધ દરવાજે ભાન ફરી આવ્યું.
.
દ્વારકાના દરિયાનો ખારો ઘુઘવાટ
.
દૂર યમુનાના નીરને વલોવે,
સ્મરણોનું ગોરસ છલકાય, અને માધવની
આજને અતીતમાં પરોવે;
કેદ આ અજાણી દીવાલોમાં, જાણીતી
કુંજગલી, કેમ કરી જાવું?
.
રાધાના નેણની ઉદાસીના કેફ તણી
ભરતી આ ગોકુળથી આવે,
મહેલની સૌ ભોગલને પાર કરી, માધવના
સૂનમૂન હૈયાને અકળાવે
.
ભીતર સમરાંગણમાં ઉભો અર્જુન
એને કેમ કરી ગીતા સંભળાવું?
.
.
- હરીન્દ્ર દવે



